સુરતના આ પરિવાર ડિજિટલ લગ્નની કંકોત્રીમાં કાંઈક એવું છપાવ્યું કે, આજે આખા ગુજરાતમાં પરિવારની વાહ વાહ થઈ રહે છે…

આપણે બધા જાણીએ છીએ કે લગ્ન જીવનને સૌથી યાદગાર પ્રસંગ માનવામાં આવે છે અને આ પ્રસંગને વિશ્વના તમામ લોકો ખૂબ જોરથી ઉજવે છે. તેથી, ખર્ચ ફક્ત ખોટો છે.
ત્યારે સુરત શહેરનો પરિવાર ખૂબ જ સારા વિચાર સાથે પોતાની દીકરીના લગ્ન કરાવવા જઈ રહ્યો છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આજકાલ તમામ લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અવનવા વિચારો સાથે લગ્ન પ્રસંગોનું આયોજન કરી રહ્યા છે અને જેમાં કંકોત્રીમાં પ્રેરણાત્મક સંદેશ લખવાનો ટ્રેન્ડ ચર્ચાનો વિષય બન્યો છે.
ત્યારે સુરતના બાબરીયા પરિવારે તેમની દીકરીના લગ્નની કંકોત્રીમાં આવો સરસ મેસેજ લખ્યો છે અને મેસેજ દરેકથી અલગ છે. આજના સમયમાં લગ્નો આટલા મોંઘા થઈ ગયા છે તેનું કારણ એ છે કે આપણે લગ્નને ભવ્ય રીતે ઉજવવા માટે ઘણા પૈસા ખર્ચીએ છીએ. લગ્નમાં સારો વ્યવહાર રાખવો એ આપણો ધર્મ છે
અને એટલા માટે સુરતના બાબરીયા પરિવાર એ મોંઘવારીના સમયમાં દરેક વ્યક્તિ માટે ઉત્તમ નિર્ણય લઈને પોતાની દીકરીના સરસ મજાના લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન વિશે મિત્રો તમે જાણીને નવાઈ લાગશે કારણ કે આ દીકરીના લગ્નની કંકોત્રી આજના સમયની જેમ ડિજિટલ રાખવામાં આવી છે અને ડિજિટલ લગ્નની કંકોત્રીમાં માત્ર ચાર લીટીમાં જે સંદેશ લખ્યો છે તે તમામ લોકો માટે રસપ્રદ અને ગૌરવશાળી બનાવવામાં આવ્યો છે.
મિત્રો બાબરીયા પરિવાર સુરત ખાતે 25 ડિસેમ્બર 2022 ના રોજ પોતાની દીકરી હેતલ ના લગ્ન કરાવવા જઈ રહ્યા છે અને પોતાની બહેનના લગ્નને યાદગાર બનાવવા માટે જનકભાઈ બાબરીયાએ લગ્નની કંકોત્રી કાર્ડમાં નોંધ મૂકી છે જેમાં લખ્યું છે કે મંડપ મુરત અને પીઠી રસમ ઘરમેળે રાખી છે અને ચાંદલા વાસણ વાસણ પેટે રોકડા અને કવર અને ગિફ્ટ સ્વીકારવાની પ્રથા સાવ બંધ છે અને મામેરુ જળ સિવાયની અન્ય પ્રથાઓ પણ બંધ રાખવામાં આવી છે.
મિત્રો ખરેખર આ સંદેશ એક સમાજમાં ખૂબ જ સારું કાર્ય કરશે અને જુના રીતી રિવાજો આજના સમયમાં સામાન્ય વ્યક્તિ માટે મોજ રૂપ બની ગયા છે કારણ કે આ જગતમાં તમે ગમે તેટલું સારું કરશો પરંતુ લોકો તમારી ભૂલ અને ખામી શોધવા માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરતા હોય છે અને આ જગતમાં મામેરુ તો સ્વયમ ભગવાન દ્વારકાધીશ કુંવરબાઈ નું ભર્યું હતું.
છતાં પણ નાની એવી ચુંદડી માટે કુવરબાઈને લોકો મેળા મારતા હતા અને માત્ર એક નાની એવી ચુંદડી માટે કુવરબાઈને મેણું મારે એટલે કુવરબાઈએ પિતા નરસિંહ મહેતાને કહ્યું કે આટલું કરવા છતાં પિતાજી માટે મેણું રહી ગયું અને ત્યારે નરસિંહ મહેતાએ કહ્યું હતું કે બેટા તમે જગતમાં ગમે એટલું કામ કરશો પરંતુ લોકો તમારી ખામી શોધશે અને એનું જ નામ વ્યવહાર કહેવાય છે