પોરબંદરમાં દર્દીના પિત્તાશયમાંથી એવી વસ્તુ નીકળી કે ડોક્ટર પણ ચોકી ગયા, જુઓ એવી તે કઈ વસ્તુ નીકળી હશે…

હાલમાં એક એવી ઘટના બની છે જે જાણીને તમે ચોંકી જશો. વાસ્તવમાં આ ઘટના ડૉક્ટર માટે પણ ચોંકાવનારી હતી. એવું જાણવા મળે છે કે દરિયાકાંઠાના પોરબંદર જિલ્લામાં ખારા પાણીને કારણે કિડની સ્ટોનના દર્દીઓની સંખ્યા વધુ છે.
તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે દર્દીના પિત્તાશયમાંથી કંઈક એવું બહાર આવ્યું કે ડૉક્ટરની પણ આંખો ફાટી ગઈ! આવો તમને સંપૂર્ણ માહિતી જણાવીએ કે આખરે હકીકત શું હતી. પોરબંદરની આણંદ હોસ્પિટલમાં જામનગર જિલ્લાના વાંસજાળીયા ગામના એક દર્દીનું ડોક્ટર દ્વારા પિત્તાશયની પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.
કીડનીની પથરીઓની સરખામણીમાં પિત્તાશયનીપથરીઓના દર્દીઓ ઓછા જોવા મળતા હોય છે. દર્દીના પિતાશયમાં પથરીની સંખ્યા જોઈ ઓપરેશન કરનાર ડોક્ટર પણ ચોંકી ગયેલા. તમને જાણીને નવાઈ લાગશે કે, દર્દીના પેટમાંથી એક બે નહીં, પરંતુ 330 જેટલી પથરીઓ નીકળી હતી.
ઓપરેશન દર્દીની હાલત સારી છે. દર્દીએ જણાવ્યું હતું કે, આટલી પથરીઓ પેટમાં હશે તેવો જરા પણ અંદાજ નહોતો. તેઓને થોડા મહિનાઓ પૂર્વે પેટમાં ગેસ સહિતની તકલીફો તેમજ ઉલટી થતાં તેઓએ રિપોર્ટ કરાવ્યા હતા તે દરમિયાન તેઓને પિત્તાશયની પથરી હોવાનું જાણવા મળ્યું હતું.
આ ઓપરેશન કરનાર ડોક્ટર કલ્પિત પરમારે જણાવ્યું હતું કે, પિત્તાશયમાં પથરીનું જ્યારે ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે વધુમાં વધુ 15 પથરીઓ દર્દીના પેટમાંથી નીકળતી હોય છે. પરંતુ એક સાથે 330 જેટલી પથરીઓ નીકળવી તે મેડિકલ સાયન્સ માટે પણ એક નવો જ કેસ હોવાનું તેઓએ જણાવ્યું હતું.