ગુજરાતના આ નાના ગામમાં હીરાબાનો જન્મ થયો હતો! એવી પરિસ્થિતિમાં જીવન જીવ્યાં કે બિજાના ઘરના વાસણો ધોવા જતા…

આજ રોજ માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના માતા હીરાબાએ 100 વર્ષની વયે દેવલોક પામ્યાં છે, જેથી દેશમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. હીરાબાની તબિયત છેલ્લા બે દિવસથી ખરાબ હોવાને કારણે તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની તબિયત અત્યંત ખરાબ થવાથી સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે 3:30 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. આજ રોજ સવારે ગાંધીનગર ખાતે હીરાબાના અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી છે.
મોદીજીએ માતાની અર્થીને કાંધ આપીને ચોંધારે આંસુએ વિદાય આપી છે. ખરેખર હીરાબાનું જીવન ખુબ જ સાદગીપૂર્ણ રહ્યું છે, તેઓ દેશના વડાપ્રધાનના માતા હોવા છતાં પણ તેમને જીવનભર એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન વિતાવ્યું હતું. હીરાબાનું જીવન ખુબ જ સંઘર્ષમય રહ્યું છે. હીરાબાના જીવન વિશે અમે આપને જણાવીએ તો, હીરા બાનો જન્મ વિસનગરમાં સામાન્ય પરિવારમાં 18 જૂન 1923 ના રોજ થયો હતો. હીરાબા મધ્યમવર્ગીય પરિવારની જેમ જીવન જીવ્યું અને લાઈમલાઇટ અને જીવનશૈલીથી દૂર રહ્યાં.
હીરાબાએ તેમના પતિ દામોદરદાસના નિધન પછી બાળકોના ઉછેર માટે ખૂબ જ સંઘર્ષ કરેલો. મોદીજીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવેલ હતું કે, અમને ઉછેરવા માટે માતાએ ખુબ જ સંઘર્ષ કર્યો છે. તેઓ આસપાસના ઘરમાં વાસણ ઘસવા અને ઝાડુ પોતા કરવા માટે પણ જતા હતા.
જેથી પોતાના બાળકોનો સારો ઉછેર કરી શકે. બાળકો જીવનમાં આગળ વધી શકે. પીએમ મોદીએ આ ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું કે, આ માત્ર મારો કે મારી માતાનો નહી પરંતુ દેશની લાખો માતાઓનો સંઘર્ષ છે. દેશમાં આવા અનેક પરિવારો છે જેનું ઉત્થાન કરવાના મિશન સાથે હું આગળ વધી રહ્યો છું.
હિરાબાના સંઘર્ષના દિવસોની વાત કરીએ હીરાબાએ કપરી સ્થિતિમાં ઘર ચલાવી દુઃખ સહન કરી બાળકોને મોટા કર્યા હતા. તેમને શાળા તો જોઈ ન હતી પણ બાળકોની ભણાવવાની જિજ્ઞાસાવૃત્તિ તેમનામાં હતી. તેમના પુત્ર પ્રહલાદભાઈએ જણાવ્યું હતું કે અમારા મોટાભાઈ કોઈક વસ્તુ બહારથી ઘરે લાવ્યા હતા
ત્યારે માતાએ તેમને સોટી મારી ઠપકો આપી જ્યાં થી લાવ્યો હોય તો પરત આપી દેવા મોકલી આપ્યો હતો. એટલે પ્રામાણિકતાના ગુણ પણ એટલા જ હતા. જો માતાએ વસ્તુ રાખી હોત મારા ભાઈ બીજી વખત પણ આવી ભૂલ કરતા. હીરાબાનાં પાડોશમાં રહેતાં 95 વર્ષીય
શકરીબેન પટેલે જણાવ્યું હતું કે હીરાબાએ ખૂબ કષ્ટ વેઠીને તેમના પરિવાર તેમજ તેમના કુટુંબીજનોને સાચવ્યા છે. એની હું સાક્ષી છુ. સવારે ઘરે ઘરે ફરી દૂધ ઉઘરાવી તેમની ચા ની દુકાને દૂધ આપવાનો તેમનો નિત્યક્રમ હતો બધા જ કામ જાતે કરતા હતા
મોદીજીના પરિવાર વિશે વાત કરીએ તો તેમના ચારભાઈઑ છે, સોમભાઇ, અમરૂતભાઇ, પ્રહલાદભાઇ અને પંકજભાઇ તેમજ એક બહેન છે, વસંતીબેનજે ગૃહિણી છે. તેમના પતિનું નામ હસમુખ ભાઈ છે. તે LIC એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કામ કરતા હતા.
મોદીજીના મોટા ભાઈનું નામ સોમા મોદી છે. તેઓ આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયા છે અને અમદાવાદમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે નરેન્દ્ર મોદીના બીજા ભાઈનું નામ પ્રહલાદ મોદી છે. તેઓ પીએમ મોદી કરતા 2 વર્ષ નાના છે. અમદાવાદમાં તેની કરિયાણાની દુકાન છે અને તેની પાસે ટાયરનો શોરૂમ પણ છે.નરેન્દ્ર મોદીના ત્રીજા ભાઈનું નામ અમૃત ભાઈ મોદી છે.
તેઓ એક ખાનગી કંપનીમાં ફિટર તરીકે નિવૃત્ત થયા હતા. 17 વર્ષ પહેલા તેમનો પગાર માત્ર 10,000 રૂપિયા હતો. નિવૃત્તિ બાદ તેઓ અમદાવાદમાં ચાર રૂમના મકાનમાં સામાન્ય જીવન જીવી રહ્યા છે. તેમની પત્ની ચંદ્રકાંત બેન ગૃહિણી છે. તેનો 47 વર્ષનો પુત્ર સંજય પણ તેની પત્ની અને બે બાળકો સાથે રહે છે.
સંજયનો પોતાનો નાનો બિઝનેસ છે. નરેન્દ્ર મોદીના સૌથી નાના ભાઈ પંકજભાઈ મોદી ગાંધીનગરમાં રહે છે. તેમની પત્નીનું નામ સીતાબેન છે. તેઓ માહિતી ખાતામાંથી નિવૃત્ત થયા છે. પંકજ મોદી તેની માતા હીરાબેન સાથે રહતા હતા. પીએમ મોદી તેમની માતાને મળવા આવતા હતા